બોલીવુડનાં દિગ્ગજ ગાયક ઉદીત નારાયણનાં દીકરા આદિત્ય નારાયણનાં લગ્ન તેની ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથે થઈ ચૂક્યા છે. વીતેલા દિવસોમાં આ લગ્ન ઇન્ડસ્ટ્રીમાં ચર્ચાનો વિષય બન્યા હતા. આખરે મંગળવારનાં સાંજે શ્વેતા અને આદિત્ય હંમેશા માટે એકબીજાના થઈ ગયા. આ લગ્નથી આદિત્યનાં ફેન્સ પણ ખૂબ જ ખુશ છે. લગ્નની તસ્વીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. એક વીડિયોમાં તો લોકોને ખુબ જ મજેદાર નજારો જોવા મળ્યો હતો. હકીકતમાં મંગળવારના સાંજે જ્યારે આદિત્ય જાન લઈને નીકળ્યા તો વચ્ચે અમુક કિન્નર મળી ગયા હતા.
આદિત્ય નારાયણની જાન નો એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં આદિત્ય નારાયણની ગાડીને અમુક કિન્નરોએ ઘેરી લીધી હતી અને તે બધા આદિત્યને આશીર્વાદ આપી રહ્યા હતા. સાથોસાથ ગાયક પાસેથી પૈસાની માંગણી પણ કરી રહ્યા હતા. વળી આદિત્યની સાથે ગાડીમાં બેસેલા લોકો કિન્નરોને પૈસા આપતા પણ નજર આવ્યા હતા.
જુઓ વિડિયો
આદિત્ય અને શ્વેતાનાં લગ્નની ઘણી તસ્વીરો અને વીડિયો સાથે આ શાનદાર વિડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. પોતાના દીકરાના લગ્નમાં દિગ્ગજ ગાયક ઉદિત નારાયણ ખૂબ જ ખુશ નજર આવ્યા હતા અને તેમણે ખુબ જ મજેદાર ડાન્સ પણ કર્યો હતો. વળી આદિત્યની માં પણ દીકરાના લગ્નમાં ડાન્સ કરતી જોવા મળી આવી હતી.
આ કલાકારોને મોકલવામાં આવ્યું હતું આમંત્રણ
દિગ્ગજ ગાયક ઉદીત નારાયણે દીકરાનાં લગ્ન માટે બોલાવવામાં આવેલ મહેમાનો વિશે વાત કરતાં જણાવ્યું હતું કે આદિત્ય અને શ્વેતાનાં લગ્ન મંદિરમાં થશે, જેમાં ૫૦ લોકો સામેલ થશે અને ત્યારબાદ રિસેપ્શન રાખવામાં આવશે. મેં પ્રધાનમંત્રી મોદી, અમિતાભ બચ્ચન, શત્રુઘ્ન સિન્હા, ધર્મેન્દ્ર જી, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને માધુરી દીક્ષિતને આમંત્રણ મોકલ્યું છે. પરંતુ કોરોના મહામારીને કારણે ખબર નથી કે આ બધા લોકો આવશે કે નહીં.
તમને જણાવી દઈએ કે જે ખબર છે તેના અનુસાર આદિત્ય અને શ્વેતાનાં લગ્નમાં આમાંથી કોઇપણ સિતારાને જોવામાં આવેલ નથી. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને મહેમાનો માંથી કોઈપણ વ્યક્તિ આદિત્ય અને શ્વેતા અગ્રવાલનાં લગ્નનો હિસ્સો બન્યા ન હતા. આશા રાખવામાં આવે છે કે બંનેનાં લગ્નના રિસેપ્શનમાં ઇન્ડસ્ટ્રીના બધા મોટા સિતારાઓ સામેલ થઈ શકે છે.
લગ્ન બાદ આદિત્યએ કહ્યું કે – મારું સપનું સાચું થઈ ગયું
પોતાની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા બાદ આદિત્ય નારાયણે નિવેદન આપતા કહ્યું હતું કે તેનું સપનું સાચું થઈ ગયું છે. તેમણે કહ્યું હતું કે શ્વેતા અને હું પરણિત છીએ, આ એક સપના જેવું મહેસૂસ થાય છે. આ એક સપના જેવું છે, જે હવે હકીકત બની ગયું છે. હું શ્વેતા સિવાય અન્ય કોઈ સાથે પોતાનું જીવન પસાર કરવા વિશે વિચારી પણ શકતો નથી. તેમણે કહ્યું હતું કે મને એક સારો વ્યક્તિ બનવામાં મદદ મળશે.
આદિત્યનાં પિતાએ જન્મદિવસ પર આપી ખાસ ગિફ્ટ
જણાવી દઈએ કે ૧ ડીસેમ્બરનાં રોજ ઉદીત નારાયણનો ૬૫મો જન્મદિવસ હતો અને આદિત્યએ પોતાના પિતાને લગ્ન કરીને ખાસ ગિફ્ટ આપી છે. આદિત્યએ વિતેલા મહિને આ વાતનો ખુલાસો કર્યો હતો કે તે પોતાની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા જઈ રહેલ છે. જણાવી દઈએ કે આદિત્ય અને શ્વેતા એકબીજાને ૧૧ વર્ષથી ઓળખે છે અને બંનેએ લાંબા સમય બાદ પોતાના સંબંધોને નામ આપવાનો નિર્ણય કર્યો હતો.
Comments
Post a Comment