ખાણીપીણીમાં જરા પણ બેદરકારી રાખવામાં આવે તો તેના કારણે ઉબકા અને ઊલ્ટી જેવી સમસ્યાઓ થવી એકદમ સામાન્ય બાબત છે. પરંતુ દરેક નાની-મોટી સમસ્યા માટે તુરંત અંગ્રેજી દવાઓનું સેવન કરવું એક સમજદાર નિર્ણય કરી શકાય નહીં. કારણ કે આ દવાઓ બનાવવામાં ઉપયોગ કરવામાં આવેલ સોલટ્સનાં સ્વાસ્થ્ય પર ઘણા નકારાત્મક પ્રભાવ પણ જોવા મળે છે. જ્યારે આયુર્વેદિક દવાઓ અને ઘરેલુ ઉપાય સંપૂર્ણ રીતે પ્રાકૃતિક ચિકિત્સા પર આધારિત હોય છે.
જામફળનાં પાન ચાવવાની રીત
તમને જાણીને આશ્ચર્ય થઇ શકે છે કે જામફળનાં પાન ખાવાથી ઉબકા, ખાટા ઓડકાર અને પેટમાં દુખાવા જેવી સમસ્યાઓમાંથી રાહત મળી શકે છે. જામફળનાં કુણા અને મુલાયમ પાન લઈને તેને યોગ્ય રીતે પીસી લો. હવે આ પાન પર બે ચપટી મરી પાઉડર ઉમેરીને તેને ધીરે ધીરે ચાવો અને તેનો રસ ગળી જાઓ. આ પાનનું સેવન તમારે એવી રીતે કરવાનું છે, જેમ તમે પાન ખાઈ રહ્યા હોય.
જામફળનાં પાનનાં ફાયદાઓ
તમને જણાવી દઈએ કે જામફળનાં પાનમાં એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટીઝ મળી આવે છે. એજ કારણ છે કે તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધી ઘણી સમસ્યાઓમાંથી છુટકારો મળી શકે છે. જો તમને ભોજન કર્યા બાદ અથવા લાંબા સફરની મુસાફરી કર્યા બાદ ઉબકાની સમસ્યા થતી હોય તો તમારે જામફળના બેથી ત્રણ પાન લઈને તેમાં એક ચપટી મરી પાવડરની સાથે ચાવી લેવા જોઈએ. તેનાથી તમને તુરંત લાભનો અનુભવ થશે.
દાંતનો દુખાવો દૂર કરવાના ઘરેલુ ઉપાય
દાંતના દુખાવાથી છુટકારો મેળવવા માટે જામફળનાં પાન ખૂબ જ મદદ કરી શકે છે. આ સ્થિતિમાંથી છૂટકારો મેળવવા માટે તમારે ૫ થી ૬ પાન લેવા અને તેને ધોઈ લેવા જોઈએ અને પીવા યોગ્ય પાણીમાં ઉકાળી લેવા. ૧૦ મિનિટ ઉકાળી લીધા બાદ તેને ગાળી લો અને પાણીને અલગ કરી, આ પાણીથી કોગળા કરો. આ દરમિયાન પાણીને થોડા સમય માટે મોઢામાં રોકી રાખવું તેનાથી. દાંતનો શેક થઈ જાય છે અને તમને દુખાવામાંથી રાહત મળે છે.
એન્ટી એલર્જીક ગુણ
તમને જણાવી દઈએ કે એન્ટી બેક્ટેરિયલ ગુણોની સાથે જ જામફળનાં પાનમાં એન્ટિ એલર્જીક ગુણ પણ મળી આવે છે. ચામડી પર ખંજવાળ, રૈશેઝ અથવા દાણા થઈ જવા પર જામફળનાં પાનની પેસ્ટ બનાવીને લગાવી લો. માત્ર બેથી ત્રણ વખત લગાવવાથી તમને લાભનો અનુભવ થશે. પરંતુ તે વાતનું ખાસ ધ્યાન રાખવું કે જો તમને બેથી ત્રણ વખત લગાવવામાં લાભનો અનુભવ ન થાય તો બેદરકારી રાખવી નહીં અને તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો. કારણ કે ઘણી વખત ઇન્ફેક્શન ખૂબ જ ગંભીર હોય છે, જેને મેડિકલ ટ્રીટમેન્ટ દ્વારા ઠીક કરી શકાય છે.
જામફળનાં પાનની પેસ્ટ બનાવવાની રીત
જામફળનાં પાનની પેસ્ટ બનાવવા માટે તમારે તેના પાનને ચોખ્ખા પાણીથી ધોઇને તેને મિક્સર ની સહાયતાથી પીસી લેવા જોઈએ. ત્યારબાદ ટેસ્ટમાં બે ટીપાં સરસવનું તેલ અને બે ટીપાં નારિયેળનું તેલ ઉમેરી દો. ત્યારબાદ તેને સંક્રમિત જગ્યા પર લગાવી લો.
Comments
Post a Comment