Skip to main content

Posts

Showing posts with the label આરોગ્ય

ચેતી જાઓ આજે જ! દૂધ પીધા પહેલા અને પછી ક્યારેય ના ખાવી જોઈએ આ 5 વસ્તુઓ નહીં તો ફસાઈ શકો છો ગંભીર બીમારીમાં, વાંચો કઈ છે એ વસ્તુઓ

  દૂધને આપણે ઘણો જ પૌષ્ટિક ખોરાક માનીએ છીએ, દૂધમાં પ્રોટીન રહેલું છે સાથે દૂધ પીવાથી તાકાત પણ વધે છે એવું કહેવામાં આવે છે, રાત્રે સૂતી વખતે મોટાભાગના લોકો દૂધ પીવે છે. પરંતુ શું તમે જાણો છે કે વિજ્ઞાન પ્રમાણે કેટલીક એવી વસ્તુઓ છે જે દૂધ પીધા પહેલા કે દૂધ પીધા પછી ખાવામાં આવે તો ગંભીર બીમારીઓ શરીરમાં લઈ આવે છે? તો ચાલો તમને આજે જણાવીએ એ કઈ વસ્તુઓ છે જે દૂધ પિતા પહેલા અને પછી ક્યારેય ના ખાવી જોઈએ. ખાટી વસ્તુ:  દૂધમાંથી દહીં બનાવવા માટે આપણે મેળવણ તરીકે કોઈ ખટાશ વાળી વસ્તુનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ જો તમે કોઈ ખટાશ વાળી વસ્તુ ખાધા પહેલા કે પછી તમે તરત દૂધ પીવો છો તો તમને વોમિટ (ઉલ્ટી) થવાની સંભાવના રહે છે. જો તમારે દૂધ પીવાનું જ હોય તો કોઈપણ ખાટી વસ્તુ ખાધાના 2 કલાક પછી તમે આરામથી દૂધ પી શકો છો. દૂધ પીધા પછી ક્યારેય ના ખાશો અડદની દાળ:  ભારતના મોટાભાગના ઘરમાં રાત્રીના સમયે દાળ બનતી હોય છે, અને રાત્રે જ આપણે દૂધ પણ પીવાનું હોય છે તો દાળ ખાધાના બે કલાક પછી જ હંમેશા દૂધ પીવાનું રાખો. કારણ કે દાળ ખાધા પછી જો દૂધ પીવામાં આવે તો તમને અપચો, પેટ દર્દ, ઉલ્ટી, શરીર ભારે થઈ જવું તેમજ ...

કોરોના વેક્સિન લગાવ્યા પહેલા અને બાદમાં શું સાવધાનીઓ રાખવી જોઈએ, નહીં થાય વેક્સિનની કોઈ સાઇડ ઇફેક્ટ

  કોરોના મહામારી લગભગ ૧ વર્ષથી સમગ્ર દુનિયાને પોતાની ઝપેટમાં લઇ રાખેલ છે. દુનિયાએ પહેલી વખત સંપૂર્ણ લોકડાઉન જોયું. આ મહામારીનાં ડરનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ફરીથી એક વખત ઘણા દેશમાં ટોટલ લોકડાઉન ચાલી રહ્યું છે, જેથી મહામારી પર કાબૂ મેળવી શકાય. આ ખબરોની વચ્ચે એક રાહત આપનાર સમાચાર પણ મળી રહ્યા છે. ખબર મળી રહ્યા છે કે ભારતે સ્વદેશી કોરોના વાયરસ ઉપર ફક્ત સફળ પરીક્ષણ નથી કરી લીધું, પરંતુ આ વેક્સિંગ દેશની જનતાને લગાવવા માટે પણ ઉપલબ્ધ થઈ ચૂકી છે. તેની સાથે જ ભારતમાં દુનિયાના સૌથી મોટા રસીકરણ અભિયાનની શરૂઆત થઇ ચૂકી છે. દેશનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સનાં માધ્યમથી આ રસીકરણ અભિયાનનો શુભારંભ કર્યો હતો. આ રસીકરણની સાથે ઘણા પ્રકારની અફવાઓ પણ ઉડવા લાગી હતી. જેમાં વ્યક્તિના સાઇડ ઇફેક્ટ બતાવવામાં આવ્યા હતા અને વેક્સિનને હાનિકારક અને ઘણી જગ્યાએ તો જીવલેણ પણ બતાવવામાં આવી હતી. તો અમારા આ લેખમાં આવા જ અમુક સવાલોનાં જવાબ લઈને આવ્યા છીએ, જેને જાણી લીધા બાદ તમારા મનમાં ઉત્પન્ન થયેલ બધા સવાલોના જવાબ તમને મળી જશે. સવાલ : આ રસી નાં  ૨૮ દિવસ બાદ પણ સમાન રસી લગાવવામાં આવશે કે...

લાલ ડુંગળીની તુલનામાં ઘણી વધારે લાભકારી છે સફેદ ડુંગળી, પુરુષો માટે કોઈ વરદાનથી ઓછી નથી

  ભારતીય કિચનમાં જે ચીજનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે તે ડુંગળી છે. ડુંગળી વગર કોઈપણ ડીશ અધુરી સમજવામાં આવે છે. ડુંગળી ફક્ત ભોજનનો સ્વાદ સારો નથી બનાવતી, પરંતુ તેમાં ભરપૂર માત્રામાં પોષક તત્વ અને પ્રોટેક્ટિવ કમ્પાઉન્ડ રહેલા હોય છે, જે અલગ-અલગ પ્રકારની બીમારીઓ સાથે લડવામાં આપણી મદદ કરે છે. માર્કેટમાં તમે સામાન્ય રીતે લાલ અને સફેદ રંગની ડુંગળી જોઈ હશે. વળી બંનેના પોતાના અલગ-અલગ ફાયદા છે. પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સફેદ ડુંગળીને વધારે ફાયદાકારક માનવામાં આવે છે. તેવામાં આજની આ સ્ટોરીમાં અમે તમને સફેદ ડુંગળી થી થતા અમુક જરૂરી સ્વાસ્થ્ય લાભ વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ. પુરુષો માટે રામબાણ વીર્યવૃદ્ધિ માટે સફેદ ડુંગળીનો ઉપયોગ કરવામાં આવે છે. મધની સાથે તેનું સેવન કરવાથી ડબલ ફાયદો મળે છે. ડુંગળીમાં રહેલ એન્ટિઓક્સિડન્ટ પ્રાકૃતિક રૂપથી સ્પર્મને વધારવામાં મદદ કરે છે. હૃદય રાખે સ્વસ્થ સફેદ ડુંગળીમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ અને કમ્પાઉન્ડ સોજાને ઘટાડવાની સાથે સાથે ટ્રાયગ્લીસરાઇડ નસ લેવલને ઓછું કરે છે ટ્રાયગ્લીસરાઇડ ઓછું થવાથી કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થાય છે, જેનાથી હૃદય સ્વસ્થ રહે છે. પાચનતંત્રન...

શિયાળામાં ગુંદરનાં લાડુંનું સેવન જરૂરથી કરો, મળે છે આ ૧૦ જબરદસ્ત સ્વાસ્થ્ય ફાયદાઓ

  શિયાળામાં મોટાભાગે લોકો ગુંદરનાં લાડુ ખાવાનું પસંદ કરે છે. તે સ્વાદમાં ટેસ્ટી હોય છે. સાથોસાથ તેના અગણિત સ્વાસ્થ્ય લાભ પણ છે. શિયાળાની ઋતુમાં જો તેનું સેવન કરવામાં આવે તો તેનાથી શરીરમાં ગરમી જળવાઈ રહે છે. તેમાં વૃક્ષની છાલમાંથી નીકળતું પ્રાકૃતિક ગુંદર એટલે કે ખાદ્ય ગુંદર હોય છે. સામાન્ય રીતે ગુંદરનાં લાડુ તૈયાર કરવા માટે દેશી ઘી, ગુંદર, સુકેલા નાળિયેરનું ખમણ અને ઘણા બધા ડ્રાયફ્રુટની જરૂરિયાત હોય છે. આજની આ સ્ટોરીમાં અમે તમને ગુંદરનાં લાડુનાં અમુક ચમત્કારિક ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ગુંદરનાં લાડુથી થાય છે ૧૦ જબરજસ્ત ફાયદાઓ ઠંડીની ઋતુમાં તે શરીરને ગરમ રાખવાનું કામ કરે છે. ઠંડીની સાથે સાથે તે ઋતુજન્ય સંક્રમણથી પણ લોકોને બચાવે છે. જે લોકોને ઠંડીની ઋતુમાં થાક અને ઉર્જાની કમી મહેસૂસ થતી હોય તેમના માટે આ લાડુ બેસ્ટ ઓપ્શન છે. ગુંદરનાં લાડુ ખાવાથી આંખોની રોશનીમાં સુધારો થાય છે. ગુંદરમાં પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં મળી આવે છે, જે હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. સંધિવાનાં રોગમાં પણ ગુંદરનાં લાડુ ખૂબ જ લાભકારી માનવામાં આવે છે, તેનાથી પીઠ અને ઘૂંટણનાં દુખ...

ડાયાબિટીસ સહિત આ ૮ બીમારીઓને દુર કરવામાં લાભકારી છે કારેલા, જનો તેના સ્વાસ્થ્ય ફાયદાઓ

  કારેલા ખાવામાં કડવા હોય છે, પરંતુ તેમાં રહેલા ઔષધિય ગુણ ખૂબ જ લાભકારી હોય છે. કારેલાંમાં વિટામિન એ, સી, કેલ્શિયમ, આયરન, ફોસ્ફરસ, ફાઇબર, એન્ટિ ઓક્સિડન્ટ અને એન્ટી બેક્ટીરિયલ તત્વ રહેલ હોય છે, જે શરીર માટે આવશ્યક છે. કારેલા ખાવાથી ઇમ્યુનિટી સિસ્ટમ પણ મજબુત બને છે અને બીમારીઓ સાથે લડવાની તાકાત પણ મળે છે. કારેલા થી ડાયાબિટીસ કંટ્રોલ થાય છે. વળી સંધિવા અને અસ્થમાના દર્દીઓ માટે પણ તે રામબાણ ઇલાજ માનવામાં આવે છે. કારેલાને શાક સિવાય તેનો જ્યુસ બનાવીને પીવાથી પણ ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કે આખરે કારેલા ખાવાથી કયા કયા ફાયદા મળે છે. ડાયાબિટીસ કંટ્રોલ કરે ડાયાબિટીસનાં દર્દીઓ માટે કારેલા રામબાણ ઔષધી છે. તે વાત અમે નથી કહી રહ્યા પરંતુ ડૉક્ટર્સ ડાયાબિટીસ પેશન્ટને ભોજનમાં કારેલાં સામેલ કરવાની સલાહ આપે છે. કારેલા ખાવાથી શરીરમાં સુગર લેવલ કંટ્રોલ રહે છે. તેને કાચા શાક બનાવીને અથવા તો જ્યુસનાં રૂપમાં સેવન કરી શકાય છે. જો કારેલા ઉપલબ્ધ ન હોય તો કારેલાંનો પાઉડર પણ ફાયદાકારક માનવામાં આવે છે. અસ્થમા માં ફાયદાકારક જો તમે અસ્થમાનાં દર્દી છો તો પોતાના ભોજનમાં કારેલાંને જરૂરથી શામેલ કર...

આયુર્વેદ અનુસાર શિયાળામાં આ ૫ શાકભાજી અને ફળનું સેવન કરો, બીમારી તમારી આસપાસ પણ ભટકશે નહીં

  શિયાળાની ઋતુમાં લોકો અવારનવાર બીમાર પડતા હોય છે. તેવામાં આ ઋતુમાં પોતાના સ્વાસ્થ્યનું વિશેષ રૂપથી ધ્યાન રાખવું પડે છે. વળી આ ઋતુમાં શાકભાજી અને ફળો ખૂબ જ સારી માત્રામાં મળી આવે છે. આ સિઝનમાં ઘણા એવા શાકભાજી અને ફળ આવે છે, જેને ખાવાથી ઈમ્યુનિટી પાવરમાં વધારો થાય છે. આ રીતે તમે શિયાળાની ઋતુમાં નાની-મોટી બીમારીઓને તો ફક્ત આ ફળ અને શાકભાજીનું સેવન કરીને ખતમ કરી શકો છો. આ વાતને ધ્યાનમાં રાખીને અમે તમને આજે આયુર્વેદ અનુસાર શિયાળાની ઋતુમાં ખાઈ શકાય તેવા શક્તિવર્ધક અને રોગનાશક ફળ અને શાકભાજી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે શિયાળાની ઋતુમાં તેનું નિયમિત રૂપથી સેવન કરો છો, તો તમને આ ઋતુમાં કોઈપણ પ્રકારની બીમારી થવાના ચાન્સ રહેતા નથી. પાલક આ શાકભાજીમાં ઘણા પ્રકારના લાભકારી એન્ટી ઓક્સીડેન્ટ અને વિટામિન ઉપસ્થિત રહે છે. તે વિટામિન એ, સી અને કે થી ભરપૂર હોય છે. આ શાકભાજીને શિયાળાની ઋતુમાં ખાવાથી શરીરમાં ઇન્ફેક્શન થતું નથી. બીટ શિયાળાની ઋતુમાં બોડીનું મેટાબોલિઝમ ઓછું થઈ જાય છે. તેવામાં બીટનું સેવન લાભકારી હોય છે. આ એક એવું ફળ છે, જેમાં કેલરી ખૂબ જ ઓછી માત્રામાં હોય છે પરંતુ ન્યુટ્રીયન્ટ વેલ્યુ વ...

સરકારનો પ્લાન : જાણો તમારી ઉંમર મુજબ તમને ક્યારે લગાવવામાં આવી શકે છે કોરોના વાયરસ વેક્સિન

  સરકારે કોવિડ-૧૯ રસીકરણ અભિયાનની રૂપરેખા તૈયાર કરી લીધી છે. હેલ્થકેયર વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ બાદ ૫૦ વર્ષથી વધારે ઉંમરનાં લોકોને વેક્સિન આપવાની તૈયારી કરવામાં આવેલ છે. ત્યાર બાદ ૫૦ વર્ષથી ઓછી ઉંમર વાળા તે લોકોને વેક્સિન આપવામાં આવશે, જેમને બે અથવા વધારે બીમારીઓ છે. આ કેટેગરીને લઈને ચર્ચા પહેલાથી જ ચાલી રહી હતી. અત્યાર સુધી સરકારી અધિકારી કહી રહ્યા હતા કે તેમાં “સિનિયર સિટીઝન્સ” સામેલ થશે. એવી સંભાવના હતી કે ૬૫ વર્ષથી વધારે ઉંમર વાળા લોકો હશે. એટલે કે ચોથી કેટેગરીમાં તે લોકો આવશે, જેની ઉંમર ૫૦ વર્ષથી ઓછી છે, પરંતુ તેઓ હાયપરટેન્શન, ડાયાબિટીસ, શ્વાસની તકલીફ જેવી બે અથવા વધારે બીમારીઓથી ગ્રસ્ત છે. એક વખત જ્યારે આ ચારે કેટેગરીનાં લોકોને વેક્સિન લાગી જશે, ત્યારબાદ સામાન્ય જનતા માટે વેક્સિન ઉપલબ્ધ થશે. વેક્સિન આવી ગયા બાદ આ ગ્રુપ સુધી પહોંચવામાં વર્ષનો સમય લાગશે સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર દેશમાં કોવિડ-૧૯ થી થયેલ ૫૩% મૃત્યુ ૬૦ વર્ષથી વધારે ઉંમર વાળા દર્દીઓના થયા છે. ૪૫% મૃત્યુની ઉંમર ૪૫ થી ૬૦ વર્ષની વચ્ચે હતી. જ્યારે ૨૬ થી ૪૪ ઉંમરમાં કોરોના થી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ૧૦% રહ...

મોટા ભાગનાં લોકો નથી જાણતા જામફળનાં પાનનો ઉપયોગ કરવાની આ સાચી રીત, અઢળક છે તેના સ્વાસ્થ્ય ફાયદાઓ

  ખાણીપીણીમાં જરા પણ બેદરકારી રાખવામાં આવે તો તેના કારણે ઉબકા અને ઊલ્ટી જેવી સમસ્યાઓ થવી એકદમ સામાન્ય બાબત છે. પરંતુ દરેક નાની-મોટી સમસ્યા માટે તુરંત અંગ્રેજી દવાઓનું સેવન કરવું એક સમજદાર નિર્ણય કરી શકાય નહીં. કારણ કે આ દવાઓ બનાવવામાં ઉપયોગ કરવામાં આવેલ સોલટ્સનાં સ્વાસ્થ્ય પર ઘણા નકારાત્મક પ્રભાવ પણ જોવા મળે છે. જ્યારે આયુર્વેદિક દવાઓ અને ઘરેલુ ઉપાય સંપૂર્ણ રીતે પ્રાકૃતિક ચિકિત્સા પર આધારિત હોય છે. જામફળ નાં  પાન  ચાવવાની  રીત તમને જાણીને આશ્ચર્ય થઇ શકે છે કે જામફળનાં પાન ખાવાથી ઉબકા, ખાટા ઓડકાર અને પેટમાં દુખાવા જેવી સમસ્યાઓમાંથી રાહત મળી શકે છે. જામફળનાં કુણા અને મુલાયમ પાન લઈને તેને યોગ્ય રીતે પીસી લો. હવે આ પાન પર બે ચપટી મરી પાઉડર ઉમેરીને તેને ધીરે ધીરે ચાવો અને તેનો રસ ગળી જાઓ. આ પાનનું સેવન તમારે એવી રીતે કરવાનું છે, જેમ તમે પાન ખાઈ રહ્યા હોય. જામફળ નાં  પાન નાં  ફાયદાઓ તમને જણાવી દઈએ કે જામફળનાં પાનમાં એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટીઝ મળી આવે છે. એજ કારણ છે કે તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધી ઘણી સમસ્યાઓમાંથી છુટકારો મળી શકે છે. જો તમને ભોજન કર્યા બાદ ...

વધતાં જતાં સંક્રમણનાં ખતરાની વચ્ચે ફેફસાનું રક્ષણ કરવા માટે અપનાવો આ પ્રાકૃતિક ઉપાયો, સંક્રમણ રહેશે તમારાથી દુર

  સામાન્ય રીતે તો શરીરને સ્વસ્થ રાખવાનો પ્રયાસ હંમેશા કરવો જોઈએ, પરંતુ કોરોના સંક્રમણનાં સમયમાં આ જવાબદારી ઘણી વધી જાય છે. આ સમયમાં વિશેષ રૂપથી પોતાના ફેફસાનું ધ્યાન રાખવું જરૂરી છે. તો ચાલો જાણીએ કે તમારે એવી કઈ વસ્તુઓનું સેવન પોતાની રૂટિન લાઇફમાં કરવું જોઈએ, જેનાથી તમે પોતાના ફેફસાને હંમેશા માટે સ્વસ્થ રાખી શકો છો. પીપરમેન્ટ ટી પીપરમેન્ટ શ્વાસ સંબંધી બીમારીઓને ઠીક કરવાનો એક વર્ષો જૂનો ઉપાય છે. પીપરમેન્ટ અને ફુદીના બંનેનો ઉપયોગ વર્ષોથી ચિકિત્સાનાં ક્ષેત્રમાં થતો આવ્યો છે. ફેફસાની સફાઈ કરવા માટે અને તેને હેલ્ધી બનાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. તમે ઈચ્છો તો દિવસમાં એકથી બે વખત મિંટ ટી નું સેવન કરીને પોતાના ફેફસાને ઇન્ફેક્શનથી લડવાની મજબૂતી આપી શકો છો. ગ્રીન ટી ગ્રીન ટી બનાવવી કદાચ દુનિયાનું સૌથી સરળ કામ છે. હાં, અમુક લોકો માટે તેને પીવું મુશ્કેલ જરૂર હોઈ શકે છે, પરંતુ ફેફસાનાં સ્વાસ્થ્ય માટે સ્વાદની સાથે થોડું સમાધાન કરી શકાય છે. ગ્રીન ટીમાં પોલિફેનોલ્સ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટિઝ હોય છે, જે વાયરસને ખતમ કરવા અને તેની સાથે વધતા સોજાને નિયંત્રિત કરવામાં સહાયક હોય છ...