કોરોના મહામારી લગભગ ૧ વર્ષથી સમગ્ર દુનિયાને પોતાની ઝપેટમાં લઇ રાખેલ છે. દુનિયાએ પહેલી વખત સંપૂર્ણ લોકડાઉન જોયું. આ મહામારીનાં ડરનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ફરીથી એક વખત ઘણા દેશમાં ટોટલ લોકડાઉન ચાલી રહ્યું છે, જેથી મહામારી પર કાબૂ મેળવી શકાય. આ ખબરોની વચ્ચે એક રાહત આપનાર સમાચાર પણ મળી રહ્યા છે. ખબર મળી રહ્યા છે કે ભારતે સ્વદેશી કોરોના વાયરસ ઉપર ફક્ત સફળ પરીક્ષણ નથી કરી લીધું, પરંતુ આ વેક્સિંગ દેશની જનતાને લગાવવા માટે પણ ઉપલબ્ધ થઈ ચૂકી છે. તેની સાથે જ ભારતમાં દુનિયાના સૌથી મોટા રસીકરણ અભિયાનની શરૂઆત થઇ ચૂકી છે.
દેશનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સનાં માધ્યમથી આ રસીકરણ અભિયાનનો શુભારંભ કર્યો હતો. આ રસીકરણની સાથે ઘણા પ્રકારની અફવાઓ પણ ઉડવા લાગી હતી. જેમાં વ્યક્તિના સાઇડ ઇફેક્ટ બતાવવામાં આવ્યા હતા અને વેક્સિનને હાનિકારક અને ઘણી જગ્યાએ તો જીવલેણ પણ બતાવવામાં આવી હતી. તો અમારા આ લેખમાં આવા જ અમુક સવાલોનાં જવાબ લઈને આવ્યા છીએ, જેને જાણી લીધા બાદ તમારા મનમાં ઉત્પન્ન થયેલ બધા સવાલોના જવાબ તમને મળી જશે.
સવાલ : આ રસીનાં ૨૮ દિવસ બાદ પણ સમાન રસી લગાવવામાં આવશે કે બીજી કોઈ રસી લગાવવામાં આવશે? શું ૨૮ દિવસ બાદ લગાવવામાં આવનાર વેક્સિન પહેલાથી જ સ્વાસ્થ્ય સેન્ટર પર રહેશે?
જો તમારા મનમાં પણ આ સવાલ ઊભો થઈ રહ્યો છે, તો જણાવી દઈએ કે હાં, બંને વેક્સિન એક જ હશે. જે વ્યક્તિને પહેલી વ્યક્તિ લગાવવામાં આવી રહી છે તેના માટે બીજો ડોઝ પણ તે દિવસથી જ સુરક્ષિત કરી દેવામાં આવશે.
સવાલ : કોવિડ વેક્સિનની આપૂર્તિ માટે બીજી ખેપ રાજ્યોને ક્યારે મળશે?
વેક્સિનની બીજી કઇ ખેપ ક્યારે અને કયા રાજ્યને આપવી તે કેન્દ્ર પર નિર્ભર છે. સરકાર નક્કી કરશે કે કેટલી વેક્સિન ક્યાં આપવામાં આવે.
સવાલ : જે લોકોને પહેલા વેક્સિન લગાવવામાં આવેલ છે, તેમને ૨૮ દિવસ બાદ વેક્સિન કેવી રીતે લગાવવામાં આવશે? તેમની ઉપર કઈ રીતે નજર રાખવામાં આવશે? કેવી રીતે નક્કી કરવામાં આવશે કે તેઓ બીજા ડોઝ માટે ઉપલબ્ધ છે?
તેનો જવાબ છે કે પહેલી વખત વેક્સિન લગાવ્યા બાદ ૨૮માં દિવસે ફરીથી મોબાઈલ ઉપર વેક્સિન લગાવવા માટેનો સંદેશ મોકલવામાં આવશે.
સવાલ : જો કોઈ આકસ્મિક કાર્યને કારણે ૨૮માં દિવસે વેક્સિન ન લગાવી શકે તો?
તેનો જવાબ છે કે આવી પરિસ્થિતિમાં તમે ડોક્ટરની સલાહ અનુસાર કોઈપણ સમયે બીજો ડોઝ લગાવી શકો છો.
સવાલ : કૉવેક્સિન અને કોવિશિલ્ડ માંથી કઈ વેક્સિન લગાવવામાં આવશે?
આ બંને જ વેક્સિન સરકાર તરફથી મંજૂરી મેળવી ચૂકી છે. તે વિભાગ નક્કી કરશે કે કયા સેન્ટર પર કઈ વેક્સિન જનતાને ઉપલબ્ધ કરાવવામાં આવશે.
સવાલ : વેક્સિન લગાવ્યા બાદ જો સાઈડ ઈફેક્ટ થાય છે તો શું? શું વ્યક્તિએ વેક્સિન લગાવવી જરૂરી છે? જો મારે વેક્સિન ના લગાવી હોય તો?
જો તમને કોઈપણ પ્રકારની સાઈડ ઈફેક્ટ મહેસુસ થઈ રહી હોય તો તુરંત સંબંધિત વેક્સિન સેન્ટર અથવા નજીકનાં સરકારી હોસ્પિટલનો સંપર્ક કરો. તે સિવાય વેક્સિન લગાવવી કે ના લગાવી તે તમારી ઉપર નિર્ભર કરે છે.
સવાલ : સામાન્ય લોકો સુધી કેટલા સમયમાં વેક્સિન પહોંચી જશે?
જવાબ તે સેન્ટ્રલ ગવર્મેન્ટ નક્કી કરશે કે સામાન્ય જનતા માટે વ્યક્તિને ક્યારે ઉપલબ્ધ થશે.
આ સિવાય પણ તમારા મનમાં સવાલ ઊભા થઈ રહ્યા હોય તો તુરંત પોતાના નજીકના વેક્સિન સેન્ટર પર જઈને જાણકારી પ્રાપ્ત કરી શકો છો. ખાસ ધ્યાન રાખવું કે વેક્સિન લગાવ્યા બાદ પણ કોરોનાની ગાઈડલાઈન નું પાલન કરવું ખૂબ જ જરૂરી છે.
Comments
Post a Comment